હેમુ ગઢવીનો જન્મ 04/09/1929એ થયો હતો. ગાયક, અભિનેતા, નાટ્યકલાકાર તરીકે જાણીતા હેમુ ગઢવીને લોકગીત અને ભજનનો નાનપણથી જ શોખ હતો. તેમણે પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભુમિકા ભજવીને પોતાનાં અભિનયથી, નાટક જોવા આવનાર લોકોનાં મન મોહી લીધા હતાં. તે દરમિયાન તેમણે ‘ગામડુ મુજને પ્યારૂં ગોકુળ’ પ્રથમ ગીત ગાયુ હતું. ‘મન મોર બની થનગાટ કરે’, ‘કાન તારી મોરલિયે’ જેવા ગીતોમાં પણ પોતાનો સ્વર આપેલ છે. તેમને રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર મળેલ છે. અને આવા બીજા અનેક સન્માનો પણ તેઓને મળ્યા હતા. તેઓનું અવસાન 20/08/1965એ થયું હતું.

25
Jan