મૂળ ભાવનગરનાં કવિ બરકત વિરાણી છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે ચિત્રકળા પર સારો હાથ બેઠો હતો એટલે ત્યારથી જ કાવ્ય લખવાની શરૂઆત કરી. ‘બેઝાર’ અને ‘બેફામ’ બે ઉપનામ તેમણે સૂચવ્યા, છેવટે ‘બેફામ’થી ખૂબ પ્રસિધ્ધ થયાં, મક્તામાં ‘મરણ’ એ તેમની આગવી વિશેષતા છે. એક મુશાયરામાં ભાગ લેતાં ઓલ ઇન્ડીયા રેડીયોના કેન્દ્ર સંચાલક શ્રી. ઝેડ. એ. બુખારીના સંપર્કમાં આવ્યા અને તેમણે રેડીયો સ્ટેશન પર નોકરી અપાવી. ત્યારથી કુશળ અભિનેતા અને નાટ્યકાર તરીકે ત્યાં જ નોકરી કરી .જલસોમા તેઓની ઘણી રચનાઓ સમાવવાનો પ્રયત્ન અમે કર્યો છે.
10
Jan